કોડીનાર ગુજરાત રાજયના સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢ જિલ્લાની દક્ષિણે અરબી સમુદ્રના કિનારાથી લગભગ ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જેની પૂર્વ તરફ ઉના તાલુકાનો ભાગ અને પશ્વિમે સુત્રાપાડાનો ભાગ લાગુ પડે છે. આ પ્રદેશ તેની રમ્યતા અને રસાળતાને લીધે "લીલી નાઘેર" તરીકે ઓળખાય છે. ઐતિહાસિક પરિપેક્ષ્યમાં કોડીનાર ઘણું પૂરાણુનગર મનાય છે. જેનો ઉલ્લેખ પૌરાણિક શાસ્ત્રોમાં થયેલો જોવા મળે છે. હાલ પણ કોડીનારની અંદર અને તેની આજુ-બાજુના કેટલાક સ્થળો તેની પૌરાણિકતાનો પુરાવો આપી રહયાં છે.
પ્રમુખશ્રી
ઉપપ્રમુખશ્રી
મુખ્ય અધીકારીશ્રી
કોડીનાર ઘણું પૌરાણિક નગર છે. જે અનુસાર અહીં ઘણાં જૂના મંદિરો હતાં. પરંતુ તેમાના ઘણાં મંદિરો નાશ પામ્યા છે. તો ઘણાં પરિવર્તન પામ્યાં છે જેમાંના હાલ નીચે પ્રમાણેના મંદિરો લોકશ્રદ્ઘાના કેન્દ્રો તરીકે હાલ વિદ્યમાન છે.
સોમાનાથ મંદિર, બાપેશ્વર શિવ મંદિર, કોટેશ્વર શિવ મંદિર, જંગલેશ્વર મંદિર, આ સિવાય નગરની અંદર દશાવતાર મંદિર, ત્રિકમરાય મંદિર, રણછોડજી મંદિર, રઘુનાથ મંદિર, ધર્મેશ્વર મંદિર, મહાકાલેશ્વર મંદિર, નરસિંહજી મંદિર (આ મંદિરનું સ્થાપ્ત જૈન શૈલી છે.) તેમજ વિશાળ સુંદર હવેલી આવેલ છે. (અહીં માત્ર મંદિરોની સામાન્ય માહિતી જ આપવાની હોય તેના વિશે વિસ્તૃત ઉલ્લેખ કરવામાં આવેલ નથી - લેખક)
કોડીનાર નગરનું નામ જેના ઉપરથી આપવામાં આવ્યું છે એવી એક માન્યતા અનુસાર અહીં નગરની પશ્ચિમ બાજુએ નદી કિનારા ભાગે "કુબેરેશ્વર" મંદિર આવેલું છે. જે ઘણું પુરાણું છે અને બે શિવલીંગોવાળું છે. નગરની દક્ષિણે સીમ ભાગમાં "ભુખેશ્વર" નામક શિવમંદિર આવેલ છે.